ઘઉં ના જુવારા પાવડર ફાયદા.એક ચમચી જ્વારાના પાઉડરમાંથી એટલાં પોષકતત્ત્વો મળી રહે છે જેટલાં 500 ગ્રામ તાજાં લીલાં શાકભાજી કે ફળફળાદિ, સૂકા મેવા કે કઠોળમાંથી પણ નથી મળતાં. એટલે જ જવારાને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે.
વીટગ્રાસ (ઘઉંના જવારા) 90 જેટલાં ખનિજ તત્વો, 19 પ્રકારના એમિનો એસિડ અને વિટામિન્સ અને મિનરલ્સનો સૌથી સારો સોર્સ છે. તેમાં વિટામિન એ, બી, સી, ઈ, ડાયેટરી ફાયબર અને કે સહિત ક્લોરોફિલ પણ છે.
ધરતીનું અમૃત છે આ 1 મેજિકલ પાઉડર
કેન્સર સહિતના અનેક ગંભીર રોગોની બેસ્ટ દવા છે
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ પાઉડર
1 ચમચી ઘઉંના જવારાથી 100થી વધુ રોગો સામે રક્ષણ
ઘઉના ઘાસ જવારાનું જ્યૂસ કે પાઉડર જટિલથી જટિલ રોગમાં લાભદાયક છે. કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેકના રોગો સહિતના અનેક રોગોમાં ફાયદાકારક છે. આ સાથે જ કબજિયાત, વાળની સમસ્યા, સ્ત્રીઓની પ્રોબ્લેમ, પેટની તકલીફો, એનિમિયા, બીપી, સ્કિનની સમસ્યાઓમાં રામબાણ છે.
વૃદ્ધત્વ અટકાવે છે
આમાં એમિનો એસિડ્સ હોવાથી શરીરમાં કોષોનું નવનિર્માણ બહુ ઝડપથી વધે છે. એન્ઝાઈમ્સને લીધે યૌવન પણ જળવાયેલું રહે છે અને અકાળે વૃદ્ધત્વ અટકે છે.
કેન્સરમાં લાભકારી
કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ જ્વારાનો પાઉડર જબરદસ્ત રક્ષણ આપે છે. શરીરની ગાંઠ ઓગાળવાની ક્ષમતા હોય છે. પહેલાં કે બીજા સ્ટેજના કેન્સર સામે અક્સીર ગણાય છે.\n